Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથીઃ જાણ થતા જ જામ્યુકોનું તંત્ર દોડ્યું હતું
જામનગરના ગાંધીનગર, મચ્છરનગરમાં હાઉસીંગ બોર્ડના મકાનના ૫ારાપેટ સહિતનો જર્જરિત હિસ્સો ગઈકાલે બપોરે તૂટી પડ્યો હતો, જેમાં બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા જ મહાનગરપાલિકાનો સ્ટાફ દોડી ગયો હતો. જામનગર શહેરમાં મચ્છરનગરમાં આવેલ ત્રણ માળિયા જર્જરિત ઈમારતનો પારાપેટ સહિતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે એક મહિલા સહિત બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચતા તેઓને સારવાર માટે લઈ જવાયા હતાં. આ બનાવની જાણ થતા જ સ્થાનિક અગ્રણી અને શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા સહિતના આગેવાનો દોડી ગયા હતાં. હાઉસીંગ બોર્ડના મકાનો વર્ષો જુના છે, અને હાલ તેમાંથી અમુક મકાન જર્જરિત હાલતમાં છે. આ બાબતે અગાઉ મહાનગરપાલિકા દ્વારા જરૂરી નોટીસ પણ પાઠવાઈ હતી, જેમાં જર્જરિત મકાનોની મરામત કરાવી લેવા અન્યથા ખાલી કરવા જણાવાયું હતું. આ દરમિયાન ગઈકાલે એક મકાનનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો, જો કે સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial