Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા શહેરમાં બાંધકામના સ્થળે કરૂણાંતિકાઃ
જામનગર તા. ૩૦: દ્વારકાના ધીંગેશ્વર મંદિર પાસે એક આસામીના મકાનમાં ચાલી રહેલા બાંધકામ વેળાએ ગઈકાલે સાંજે આ આસામી બીજા માળે સિમેન્ટની થેલી ચઢાવતા હતા ત્યારે ગરેળીનું લાકડુ તૂટીને માથા પર પડતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. દ્વારકા શહેરના ધીંગેશ્વર મંદિર નજીક નવી વાડી પ્લોટમાં વસવાટ કરતા કાંતિલાલ છગનભાઈ ડાભી (ઉ.વ.પ૩) નામના સતવારા પ્રૌઢના મકાનમાં બીજા માળે ચણતર કામ કરવામાં આવી રહ્યું હતું. જેમાં ગઈકાલે સાંજે શ્રમિકો દ્વારા સિમેન્ટની થેલી ઉપર ચઢાવાતી હતી. આ વેળાએ કાંતિલાલ ગરેળી વડે થેલી ચઢાવી રહ્યા હતા ત્યારે ગરેળીનું લાકડુ કોઈ કારણથી તૂટીને કાંતિલાલના માથા પર પડતા માથામાં ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની કલ્પનાબેને પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial