Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક રહીશ દ્વારા જામનગર મ્યુનિ. કમિશનરને પત્ર લખીને
જામનગર તા. ૩૦: જામનગરમાં કાજીના ચકલા, વાણિયાવાડમાં ધાર્મિક સ્થળનું ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે. આ અંગે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગરમાં કાજીના ચકલામાં રહેતા હાર્દિક વૃજલાલ પાલાએ મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, રાયશી વર્ધમાન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ જામનગર ટ્રસ્ટના નેમીનાથ દેરાસર (ઉપાશ્રય)નું વાણિયાવાડમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે મહાનગર પાલિકાની મંજુરી લેવામાં આવી નથી. આ ધર્મસ્થાનને તોડી પાડી ત્યાં સંપૂર્ણપણે નવું બાંધકામ થઈ રહ્યું છે. આ બાંધકામ તાત્કાલિક અટકાવવું જોઈએ. આ અંગે ટીપીઓ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial