Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સતાપરમાં ત્રણ વેપારી ખેડૂતોની લાખોની જણસ ઓળવી ગયા

એક ખેડૂત દ્વારા કરવામાં આવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામજોધપુર તાલુકાના સતાપર ગામના કેટલાક ખેડૂતોની રૂ. ૨૭ લાખની જણસ ઉધારમાં રાખ્યા પછી એક પેઢીના ત્રણ સંચાલક પોબારા ભણી ગયા છે. છેતરપિંડીનો ભોગ બનનાર ખેડૂતો વતી એક ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. છેતરપિંડીનો આંક કરોડોમાં પહોંચવાની શક્યતા જોવાઈ રહી છે.

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા દિનેશભાઈ સુરાભાઈ પરમાર નામના ખેડૂતને થોડા સમય પહેલા સતાપર ગામના જ રમેશ મથુરદાસ વિઠલાણી નામના આસામીનો ભેટો થયો હતોા રમેશભાઇએ પોતાની પેઢીમાં દિનેશભાઈ તથા અન્ય ખેડૂતોને તેઓની મગફળી સહિતની જણસો વેચવા માટે જણાવ્યું હતું.

તેમના પર વિશ્વાસ રાખી દિનેશભાઈ પરમારે પોતાની રૂ. ૫,૧૬,૭૫૦ની મગફળી વેચાણથી આપી હતી. તે ઉપરાંત અન્ય કેટલાક ખેડૂતોએ પણ રૂ. ૨૭ લાખની કિંમતની જણસ રમેશભાઈની પેઢીમાં આપી હતી.

આમ સતાપરના ખેડૂતોની  જણસો ખરીદી લઈ તે રકમ બાકી રાખ્યા પછી સપ્તાહ પહેલા રમેશભાઈ તથા તેના ભાઈ ગોપાલભાઈ મથુરદાસ વિઠલાણી અને પુત્ર કિશન રમેશભાઈ વિઠલાણી પોબારા ભણી જતા છેતરાઈ ગયાની લાગણી અનુભવતા ખેડૂતો વતી દિનેશભાઈએ જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ ખેડૂતો ઉપરાંત અન્ય ગામોના પણ કેટલાક ખેડૂતો સાથે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિ લાખોની જણસ ખરીદ્યા પછી તેઓની રકમ ઓળવી ગયાની વિગતો બહાર આવી રહી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (ર) (૫) ૫૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh