Advertisement
Author: નોબત સમાચાર

આવળ ધામ માતાજીના મંદિરના જિર્ણોદ્ધાર તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ પાસે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦ઃ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ પાસે આવેલ આવળ માતાજી મંદિરના જિર્ણોદ્ધાર તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા. ૧ર-પ-ર૦રપ ના દિને સોમવારે વિવિધ ધાર્મિક પ્રસંગો-વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવશે. આચાર્યપદે કેતનભાઈ રાજ્યગુરુ બિરાજશે.

આ પ્રસંગે ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ જૂનાગઢના પૂ. મુક્તાનંદ બાપુ ઉપસ્થિત રહેશે. બપોરે તથા સાંજે મહાપ્રસાદી યોજાશે. રાત્રે ૯ વાગ્યે માયાભાઈ આહિર, તૃપ્તિબેન ગઢવી, પિયુષભાઈ મિસ્ત્રી, રઘુરામબાપુ વગેરે કલાકારોના લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. સરપંચ રંજનબેન આહિર તથા કશ્યપભાઈ ડેરે ધાર્મિકોત્સવમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh