Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈટ્રા દ્વારા વધુ પડતા માસિકની તકલીફ માટે સારવાર કેમ્પ

સ્ત્રીરોગ અને પ્રસૂતિ તંત્ર વિભાગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: આયુર્વેદ શિક્ષણ એવં અનુસંધાન સંસ્થાન, જામનગરના સ્ત્રી રોગ અને પ્રસૂતિ તંત્ર વિભાગ દ્વારા આયુર્વેદ પદ્ધતિથી મહિલાઓમાં થતી વધુ પડાતા માસિકની તકલીફ માટે નિદાન સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૮ થી ૪૦ વર્ષની મહિલાઓમાં વધુ પડતા માસિકના આનુસંગિક તકલીફોમાંથી હોર્મોન અસંતુલન, પી.સી.ઓ.એસ. અને અન્ય તકલીફોના કારણે એનિમિયા થવો, આરોગ્યની ગુણવત્તા ઘટવી વગેરે સમસ્યાઓ થવી તેમજ સારવાર માટે સર્જરીની પણ જરૂરિયાત પડી શકે છે.

આ પ્રકારની સમસ્યાના સમાધાન માટે તા. રર-૭-ર૦રપ ના મંગળવારે સવારે ૯ થી ૧ર-૩૦ દરમિયાન ઓ.પી.ડી. રૂમ નંબર એ-૬, સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, આઈ.ટી.આર.એ. કેમ્પસ, જામનગરમાં નિઃશુલ્ક તબીબી પરામર્શ, નિદાન, સારવાર અને સોનોગ્રાફી જેવી તપાસ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો લાભ લવા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh