Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં રેલવે વિભાગની કામગીરીને અટકાવી સ્થાનિક રહેવાસીઓનો વિરોધ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૩૦: સલાયામાં ઘણા સમયથી જુની બંધ રેલવે લાઈનનું કામ પુરજોશમાં ચાલુ છે. આ કામગીરી દરમ્યાન આ વોર્ડ નંબર ૬ અને ૭ને પાણી પૂરૃં પાડતી પાઈપ લાઈન તૂટી ગઈ છે એવું સ્થાનિકોનું કહેવું છે. જે ઘણાં સમયથી હજુ પણ તૂટેલી છે. જેથી સ્થાનિકોને પાણી મળતું નથી.

તેમજ આ રેલવે લાઈનની એક બાજુ સરકારી નિશાળ આવેલ છે. જેથી સ્થાનિકો દ્વારા આ નિશાળમાં જવા માટે છોકરાઓને તકલીફ ન પડે એ માટે વ્યવસ્થિત વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે, જેથી બાળકો ભય વિના સ્કૂલ તરફ જઈ શકે. આ બંને માંગણીઓ સાથે આ રેલવે વિભાગની કામગીરીને સ્થાનિકોએ અટકાવી છે. સ્થાનિકો સાથે આ વોર્ડના નગર પાલિકાના સદસ્ય ફિરોઝ સંઘાર, નગર પાલિકાના ઉપપ્રમુખ સાલેમામદ ભગાડ, તેમજ આગેવાન અકબર ભાયા પણ જોડાયા હતાં. સ્થાનિકોની માંગણીઓ ઝડપથી પૂરી કરવા તંત્રને અપીલ કરાઈ હતી. તેમજ આ રેલવે વિભાગ દ્વારા બનાવેલ અંડર બ્રિજમાં પણ હાલ ઉનાળામાં પાણી ભરાઈ જતું હોય જે બાબતે યોગ્ય કરવા માંગ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh