Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરાની ખેતીની જમીન અંગેના દાવામાં મનાઈહુકમની માગણી નામંજૂર

નીચેની કોર્ટનો હુકમ યથાવત રખાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮ઃ જામનગર નજીક કનસુમરામાં આવેલી કરોડોની કિંમતની ખેતીની જમીનમાં ભાગ મળવા અંગેના દાવામાં વચગાળાના મનાઈહુકમની માગણી નામંજૂર થતાં ઉપરની અદાલતમાં અપીલ કરાઈ હતી તે અપીલ પણ રદ્દ કરાઈ છે.

જામનગર તાલુકાના કનસુમરા ગામમાં આવેલી રેે.સ.નં.૨૫ સહિતની જમીન અંગે હવાબાઈ ઈશાક ખીરા, રોશનબેન ઈશાક ખીરાએ વારસદાર તરીકે પોતાનો હિસ્સો જુદો કરી આપવા અને કબજો અપાવવા માટે કાસમ સુલતાન ખીરા વગેરે સામે કોર્ટમાં દાવો કર્યાે હતો.

ઈશાક આલી ખીરાના ઉક્ત વારસદારોએ દાવાના આખરી નિકાલ સુધી વચગાળાના મનાઈહુકમની માગણી પણ કરી હતી. તે માગણી નામંજૂર થતાં હવા બાઈ, રોશનબેને જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી.

તે અપીલ અન્વયે કાસમ સુલતાન ખીરા વગેરે તરફથી હાજર રહેલા વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે હવાબાઈ વગેરેની અપીલ નામંજૂર કરી છે અને નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. કાસમભાઈ ખીરા વગેરે તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh