Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગામના અગ્રણીએ આજુબાજુના ૧૦ ગામના સરપંચોનું કર્યું સન્માનઃ
જામનગર તા. ૧૭: જામનગર તાલુકાનું નારણપુર એક એવું ગામ કે જયાં આઝાદી વખતથી ચૂંટણી થઈ નથી. નારણપૂર સહિતના આજુબાજુના ૧૦ ગામોના સરપંચોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું અને સમરસનો સંદેશ વહેતો કરાયો હતો.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા નારણપુર ગામ કે જ્યાં આઝાદીના સમયથી અત્યાર સુધીમાં એક પણ વખત ચૂંટણી યોજાઈ નથી, અને ગ્રામજનોના સહકારથી સર્વાનુમતે સરપંચની નિયુક્તિ થાય છે, જે પરંપરા આ વખતે પણ ચાલુ રહી છે. અને અહીં બિનહરીફ સરપંચ ચૂંટાયા છે.
નારાણપૂર ગામના હાલારી ભાનુશાળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચાંદ્રા જે બિન રાજકીય વ્યક્તિ છે. તેઓને એક વિચાર આવ્યો હતો, તે મુજબ આજુબાજુના દસ ગામથી વધુના નવ નિયુક્ત સરપંચો ચૂંટાઈને આવ્યા છે, તેઓનો એક સન્માન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગામનો વિકાસ કરવા અને શક્ય હોય ત્યાં સુધી ગામ સમરસ થાય, તેવા આગ્રહ સાથે સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલા સરપંચો પૈકીના નારણપુર ગામના સરપંચ ભાવનાબેન મહેશભાઈ ચાંદ્રા, લાવડીયા ગામના શૈલેષભાઈ ગંઢા, સુવરડા ગામના વિમલભાઈ નાખવા, દડીયા ગામના ઉપસરપંચ કમલેશભાઈ હરવરા, નાઘૂના ગામના મંજુલાબેન અકબરી, ચંદ્રગા ગામના મનીષભાઈ વસોયા, નારણપુર ગામના ઉપસરપંચ રમીલાબેન ફલીયા વગેરેનું ફૂલહાર કરીને જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, અશોકભાઈ વસિયર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કે. કે. નંદા, મહેશભાઈ ચાંદ્રા, પ્રવીણભાઈ ચાંદ્રા, બેચરભાઈ લખીયાર વગેરે દ્વારા તમામ ચૂંટાયેલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગ્રામજનો દ્વારા સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન સાથે નારણપુર ભાનુશાળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચાંદ્રા દ્વારા સમૂહ ભોજન પણ યોજાયુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial