Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જબ જબ ભાજપ ડરતી હૈ... પોલીસ કો આગે કરતી હૈ...
જામનગર તા. ર૦: ઉત્તરપ્રદેશમાં શંકરાચાર્યનું અપમાન અને સાધુ-સંતોને માર મારવાના કેસમાં જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે પોલીસે અમુક કાર્યકરોની અટકાયત કરી હતી.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના માઘ મેળામાં શંકરાચાર્યનું અપમાન કરવામાં આવ્યું હતું, તેમજ સાધુ-સંતોને માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યોગી સરકાર સામે રોષ ફેલાયો છે. ગઈકાલે જામનગરમાં લાલબંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદૃશન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ આગેવાનો દ્વારા આક્ષેપ કરાયો હતો કે, હિન્દુત્વની મોટી વાતો ભાજપ કરે છે. આવી ઘટના છતાં સરકાર મૌન છે. શંકરાચાર્યનું અપમાન સહન નહીં કરીએ, ધાર્મિક, વિરાસત તોડવાનું બંધ કરો, ભાજપ સરકાર હાય હાય, જબ જબ ભાજપ ડરતી હૈ પલીસ કો આગે કરતી હૈ. તેવા સૂત્રો પુકાર્યા હતાં. આ સાથે કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચાખેચી થઈ હતી.
આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, ઉપરાંત મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, ભરત વાળા, કોર્પોરેટર, પક્ષના અન્ય આગવાનો, કાર્યકરો વિગેરે જોડાયા હતાં, જ્યારે પોલીસે અમુકની અટકાયત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial