Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનવાધિકાર સેલ મુજબ પાક.ના સુરક્ષા દળોએ ત્રણ બલુચ નાગરિકોને ગાયબ કરી દીધા!: સ્ફોટક સ્થિતિ
નવી દિલ્હી તા. ર૦: બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે પાક. સેનાને ખદેડીને ખારાન શહેર પર કબજો મેળવી લીધો હોવાના અહેવાલો છે.
બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટએ પાકિસ્તાની સેનાને મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચાડવાનો દાવો કર્યો છે. બીએલએફ એ જણાવ્યું હતુંકે, તેના લડવૈયાઓએ ૧પ જાન્યુઆરીના બપોરે ર-૩૦ વાગ્યે (સ્થાનિક સમય) ખારાનમાં એક મોટું અને સંકલિત ઓપરેશન શરૂ કર્યું હતું.
તેઓએ શહેર પર કબજો કર્યો, પોલીસ સ્ટેશનનો કબજો મેળવ્યો અને બેંકો અને સરકારી ઈમારતો પર હુમલો કર્ય. નવ કલાક ચાલેલી અથડામણમાં પ૦ થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. ઘાયલોમાં વિંગ કમાન્ડર કર્નલ વાધાન અને મેજર આસીમનો સમાવેશ થાય છે.
બીએલએફના લડવૈયાઓએ પહેલા ખારાન શહેર પોલીસ સ્ટેશન પર કબજો કર્યો, કર્મચારીઓને બંધક બનાવ્યા, સરકારી હથિયારો કબજે કર્યા, કેદીઓને મુક્ત કર્યા અને ઈમારત, રેકોર્ડ અને પોલીસ વાહનોને નુક્સાન પહોંચાડ્યું. બીજી ટૂકડી ખારાનના મુખ્ય બજારમાં પ્રવેશી અને મીઝાન બેંક, અલ હબીબ બેંક, નેશનલ બેંક અને અન્ય સરકારી કચેરીઓ પર હુમલો કર્યો. કાર્યવાહી દરમિયાન એક બેંક સુરક્ષા ગાર્ડ માર્યો ગયો અને સ્થાનિક 'ડેથ સ્ક્વોડ' સાથે સંકળાયેલા બે લોકો ઘાયલ થયા.
બીએલએફ એ દાવો કર્યો હતો કે તેના સહાયક એકમ, કુર્બાન, ખારાનના મુખ્ય બજારમાં પ્રવેશ કર્યો, રેડ ઝોનમાં એક ચેક પોઈન્ટ સ્થાપી અને ત્રણ વાહનોના લશ્કરી કાફલાને નિશાન બનાવ્યો. આ હુમલામં અનેક સૈનિકો માર્યા ગયા અને લશ્કરી વાહનોનો નાશ થયો. માર્યા ગયેલા લોકોના હથિયારો જપ્ત કરવામાં આવ્યા.
બલુચિસ્તાન પ્રાંતમાં હિંસા અને સુરક્ષા કાર્યવાહી વચ્ચે બળજબરીથી ગુમ કરવાના કિસ્સાઓ ચાલુ છે. એકઅગ્રણી માનવાધિકાર સંગઠને દાવો કર્યો છે કે પાકિસ્તાની સુરક્ષા દળોએ વધુ ત્રણ બલુચ નાગરિકોને બળજબરીથી ગુમ કર્યા છે. બલુચ નેશનલ મૂવમેન્ટના માનવ અધિકાર સેલ અનુસાર બે ભાઈઓ, ઈમરાન બલોચ અને રિઝવાન બલોચનું ૧૭ જાન્યુઆરીના પંજગુર જિલ્લાના તુસ્પ વિસ્તારમાંથી તેમના ઘરેથી સુરક્ષા દળો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
એક અલગ ઘટનામાં ખારાન જિલ્લાના રહેવાસી ઓવૈસ અહેમદ કમ્બરાનીને પણ ૧૭ જાન્યુઆરીના સરવાન વિસ્તારમાં એક ડેરી ફાર્મ પર દરોડા દરમિયાન સુરક્ષા દળો દ્વારા બળજબરીથી ગાયબ કરવામાં આવ્યો હતો. અત્યારે બલુચિસ્તાનમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળ પર પાક. સેનાના દમન તથા વિદ્રોહના કારણે સ્ફોટક સ્થિતિ સર્જાવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial