Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં જિલ્લા ભાજપ દ્વારા યુવા સંમેલન

                                                                                                                                                                                                         

ખંભાળિયા તા. ૧: ખંભાળિયામાં દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમ્માં જિલ્લા ભાજપ દ્વારા ડો. આંબેડકરજીની જન્મ જયંતી સંદર્ભમાં જિલ્લા યુવા મોરચા તથા અનુ.જાતિ મોરચા દ્વારા યુવા સંમેલન યોજાયું હતું.

જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા અને કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા પ્રાસંગિક વક્તવ્યો કરવામાં આવ્યા હતાં. યુવાનો, કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના મહામંત્રી યુવરાજસિંહ વાઢેરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા સંગઠના હોદ્દેદારો શ્રી રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝિયા, જિલ્લાના ભાજપ શાસીત પાલિકાના હોદ્દેદારો, સદસ્યો, જિલ્લાના મંડલોના પ્રમુખ, મહામંત્રીઓ, વિવિધ મોરચાની ટીમો, તા.પં.ના સદસ્યો, અગ્રણીઓ વનરાજસિંહ વાઢેર, ભરતભાઈ ચાવડા, મહેન્દ્રભાઈ વગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh