Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો રણકારઃ ખેડૂતોના પ્રશ્ને જાગે સરકાર...
ખંભાળિયા તા. ૩૧: ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટંકારાથી મોરબી સુધી તા. ર-ર-ર૦ર૬ ના ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રા નીકળશે.
ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા તથા ખેડૂતોને જાગૃત કરવા આગામી તા. ર-ર-ર૦ર૬ને સોમવારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સવારે સાડાનવ વાગ્યે ટંકારાથી મોરબી કલેક્ટર કચેરી સુધી ગુજરાતમાં ક્યારેય ના નીકળેલ હોય તેવી ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂતોને પોતાના જ ખેતરમાં નક્કી કરેલા કોરીડોર પાસે પોતાના ગોદામ પણ ના કરી શકે જ્યાંથી વીજ લાઈન ખસાર થાય તે ખેતી બીનખેતી ના થાય, બાગાયતી પાકો, નાળિયેરીના બગીચા પણ ના થાય. ખાનગી કંપનીઓ, વીજ કંપનીઓ ખેડૂતોની જમીનની કિંમતો ઘટાડે, સરકાર જંત્રી ભાવે વળતર નક્કી કરે, ર૦૧૩ નો જમીન સંપાદન કાયદો બજારભાવથી ચાર ગણું વળતર ખેડૂતોને આપવું તેમ કહે છે? ર૦રપ ની કેન્દ્ર સરકારની એસ.ઓ.પી. માર્કેટ ભાવથી ડબલ વળતરની છે. રાજસ્થાનની ભાજપ સરકાર બજાર ભાવના ચાર ગણા આપે છે. તેમની એસ.ઓ.પી. છે ત્યારે ગુજરાતના ખેડૂતોને અન્યાય કરીને જંત્રી ભાવે વળતરના પરિપત્ર થયા હોય, આ મુદ્દે ટ્રેક્ટર યાત્રાનું આયોજન થયું છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો ટ્રેક્ટરો સાથે જોડાશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા સમિતિના જયેશભાઈ પટેલ, ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલિયા, પ્રવિણભાઈ પટોડિયા, રતનસિંહ ડોડિયા, મહેશભાઈ રાજકોટિયા, લાલજીભાઈ દેસાઈ, નારણભાઈ ગઢવી, હેમંતભાઈ વીરડાએ ખેડૂતોને અપીલકરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial