Advertisement
Author: નોબત સમાચાર

હરિદ્વારમાં નિર્માણાધિન આહિર સમાજના ભવન માટે રૂ. ૧૧ કરોડનો ફાળો નોંધાયો

ભાટિયા પાસેના રણજીતપુર ગામે ગોરિયા પરિવાર આયોજિત શિવ કથામાં

                                                                                                                                                                                                      

ભાટિયા તા. ૩૦: ભાટિયા પાસે રણજીતપુરમાં અંકલેશ્વર મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં સ્વ. રાયસીભાઈ મારખીભાઈ ગોરિયાના પુત્ર જીતેન્દ્રભાઈ (લાલાભાઈ) ગોરિયા તથા પરિવારજનો દ્વારા ધવલભાઈ શાસ્ત્રીના વ્યાસાસને શિવકથા યોજવામાં આવી હતી.

આ શિવકથાનો શ્રવણ લાભ લેવા તાલુકા-જિલ્લા તથા હાલારમાંથી હજારો શ્રદ્ધાળુઓ આવ્યા હતાં. સંસદસભ્ય, રાજ્યના મંત્રી, પૂર્વ મંત્રી, આહિર સમાજના આગેવાનો, વિવિધ સમાજ-જ્ઞાતિના આગેવાનો, સંતો-મહંતો, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કથાના આયોજક પરિવારના લાલાભાઈ ગોરિયા, મિતલબેન ગોરિયા તેમજ મેરામણભાઈના હસ્તે મહેમાનું સ્વાગત-સન્માન કરાયું હતું.

આ કથામાં હરિદ્વારમાં નિર્માણ થનાર આહિર સમાજના ભવન માટે યજમાન પરિવારના વડીલ સ્વ. જેઠાભાઈ દેવાભાઈ ગોરિયા પરિવારે કથાના પ્રથમ દિવસે જ રૂ. સવા કરોડનો ફાળો નોંધાવ્યો હતો. ત્યારપછી શિવકથાના નવ દિવસ દરમિયાન કુલ રૂ. ૧૦ કરોડ, ૮૯ લાખ, ૪૪ હજાર ૪૪૪ નો ફાળો નોંધાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh