Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીના જામીન

દ્વારકાથી ભગાડી મધ્યપ્રદેશ લઈ ગયો'તોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: દ્વારકામાંથી સગીરાનું અપહરણ કરી મધ્યપ્રદેશમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા પરપ્રાંતીય આરોપીને અદાલતે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. દ્વારકા શહેરમાં વસવાટ કરતા એક પરિવારની પંદર વર્ષની પુત્રીને લલચાવી ફોસલાવી તેણીનું અપહરણ કરી જવાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. મધ્યપ્રદેશમાં રહેતા સંજય સરદાર વાસ્કેલ નામના શખ્સ સામે શંકાની સોય તાણવામાં આવી હતી.

પોલીસે ઉપરોક્ત ગુન્હામાં શરૂ કરેલી તપાસ પછી દુષ્કર્મ ગુજારનાર આરોપી સંજય સરદારભાઈની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેના વકીલ પી.એ. વાડોદરીયા, હર્ષિદાબેન રાઠોડ, ખુશાલીબા સોઢાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીનમુક્ત કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh