Advertisement
Author: નોબત સમાચાર

૯૨ લોકોના નામ કમી કરવાની અરજી કર્યાનો ચોંકાવનારો ખુલાસો

એક અભણ વ્યક્તિએ મતદાર યાદીમાંથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરમાં એસઆઈઆરની કામગીરીમાં ચોક્કસ જ્ઞાતિ/વર્ગના લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવી રહ્યા હોવાની કોંગ્રેસની રજૂઆતના પગલે વોર્ડ નં. ૧૨માં કોર્પોરેટર જેનબબેન ખફીએ જનતા રેડ પાડી એક ચોંકાવનારો ખુલાસો રજૂ કરતા સરકારી તંત્રની કામગીરી અંગે લોકોમાં રોષ ફેલાયો છે.

આ વોર્ડના ૯૨ લોકો જેમાં ખુદ જેનબબેન ખફીના માતાનું પણ નામ છે તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવા કોઈ એક વ્યક્તિએ અરજી કરી હોવાનું જાણવા મળતા જનતા રેડ પાડી આ ખોટી અરજી કરનારાની શોધખોળ કરતા તે વ્યક્તિને તો વાંચતા, લખતા આવડતું જ નથી અને સાવ અભણ હોવાનું બહાર આવ્યું છે. આમ, એસઆઈઆરની કામગીરીમાં ભાજપના ઈશારે મોટા પાયે ગોબાચારી કરવામાં આવતી હોવાની રજૂઆતને પૂરવાર થયું હોવાનું જેનબબેન ખફીએ જણાવ્યું હતું. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની ખોટી અરજી કરનારાઓને શોધી-શોધીને તેમની વિરૂદ્ધ ફોજદારી ફરિયાદો દાખલ કરવાની તેમજ અદાલતમાં કેસ કરવાની તૈયારી ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh