Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના કુલ ૧૯ અધિકારીની થઈ બદલીઃ
જામનગર તા. ૨: જામનગરના એક પીઆઈ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા ૧૯ પીઆઈની ગઈકાલે બદલી કરવામાં આવી છે. જામનગર સહિત રાજ્યભરના પોલીસ વિભાગમાં બિન હથિયારધારી પીઆઈ તરીકે ફરજ બજાવતા કુલમાંથી ૫૧૮ અધિકારી ઓની બદલીઓના તાજેતરમાં રાજ્યના મુખ્ય પોલીસવડા દ્વારા કરવામાં આવેલા હુકમ પછી ગઈકાલે વધુ ૧૯ પીઆઈની બદલીના આદેશ આવ્યા છે. ઉપરોક્ત બદલીઓમાં જામનગરના પીઆઈ એ.એસ. રબારીની બદલી કરવામાં આવી છે. આ અધિકારીને મહેસાણા મૂકવામાં આવ્યા છે. તે ઉપરાંત ડાંગ, અમદાવાદ, જુનાગઢ, વલસાડ, સુરત, ભુજ, ભાવનગર અને જુનાગઢ પીટીસીમાં પણ ફરજ બજાવતા અન્ય ૧૮ની બદલીઓનો જાહેરહિતમાં આદેશ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial