Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંધકામ નિયમિત કરવા માંગ્યા હતા રૃા.૧૨ હજારઃ
જામનગર તા. ૧૦ઃ ખંભાળિયાના એક આસામીએ પોતાના બાંધકામને નિયમિત કરી આપવા માટે ખાડાની કચેરીના કર્મચારી રૃા.૧૨ હજારની લાંચ માંગતા હોવાની દસ વર્ષ પહેલાં એસીબીમાં કરેલી ફરિયાદમાં આ કર્મચારી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. તેને અદાલતે ચાર વર્ષની કેદની સજા ફટકારી છે.
ખંભાળિયામાં રહેતા એક આસામીએ દસ વર્ષ ૫હેલાં પોતાના મકાનના બાંધકામને નિયમિત (રેગ્યુલાઈઝ) કરવા માટે તજવીજ કર્યા પછી ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તામંડળ (ખાડા)ની કચેરી નો સંપર્ક કર્યાે હતો.
આ કચેરીમાં ફરજ બજાવતા ધર્મેન્દ્ર જેઠાભાઈ સોલંકી નામના કર્મચારીએ તે બાંધકામ રેગ્યુલાઈઝ કરી આપવા માટે રૃા.૧ર હજારની લાંચની માગણી કરી હતી. તેથી આ આસામીએ જામનગર સ્થિત લાંચ-રૃશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદના આધારે વર્ષ ૨૦૧૫માં છટકુ ગોઠવાયું હતું અને તેમાં ધર્મેન્દ્ર સોલંકી સપડાઈ ગયો હતો. એસીબી દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી સરકારી કર્મચારી ધર્મેન્દ્ર જેઠાલાલ સોલંકીને તકસીરવાન ઠરાવી ચાર વર્ષની કેદ અને રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial