Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાળી પટ્ટી પછી જાહેર કરાયેલી હડતાલ પહલગામ હુમલા પછી મોકૂફ રાખી હતીઃ
ખંભાળિયા/ગાંધીનગર તા. રઃ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નોને લઈને કાળીપટ્ટી, માસ સી.એલ. પછી હવે વર્ક-ટુ-રૂલનું આંદોલન શરૂ કર્યું છે. હજુ પણ પ્રશ્નો નહીં ઉકેલાય તો અચોક્કસ મુદ્તની હડતાલ પાડવાનો નિર્ધાર વ્યક્ત થયો છે.
ગુજરાત મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમાર, મહામંત્રી મીતેશ કનેજિયા દ્વારા વિવિધ પડતર પ્રશ્નો તથા માંગણીઓ બાબતે ગત્ તા. ૯/૪ તથા ર૮/૪ ના પડતર પ્રશ્નો ૧૦ થી ૯ અંગે સમગ્ર જિલ્લાઓમાં તથા રાજ્ય કક્ષાએ પણ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યા હતાં જે પછી રર/૪ ના મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટીઓ ધારણ કરીને તેમની પડતર માંગણીઓના નિકાલ માટે તંત્રનું ધ્યાન ખેંચ્યું હતું. જે પછી પણ સરકાર દ્વારા કંઈ ધ્યાન ના દેવાતા મહેસુલી કર્મીઓ દ્વારા અચોક્કસ મુદ્તની હડતાલનું આયોજન થયું હતું, પરંતુ પહલગામ આતંકી હુમલાના સંદર્ભમાં દેશની રાષ્ટ્રીય સ્થિતિ તથા રાષ્ટ્રીય સુરક્ષાની બાબતોને લઈને રાષ્ટ્ર હિતને પ્રાધાન્ય આપવાનું હોય, તંગદિલી સ્થિતિમાં મહેસુલી કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્ત હડતાલ યોગ્ય ના હોય, તાજેતરમાં તમામ કર્મીઓ દ્વારા રાજ્યમાં માસ સી.એલ.નો કાર્યક્રમ કરીને આ મુદ્દે આવેદનપત્રો આપવામાં આવ્યા હતાં તથા તા. ર/પ થી ૧પ-પ-ર૦રપ સુધી વર્ક ટુ રૂલનો કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓ તેમના નિયત સમય સુધી જ ફરજ પર હાજર રહેશે તથા આ રીતે પડતર પ્રશ્નો ના ઉકેલવાનો વિરોધ વ્યક્ત કરશે.
રાજ્ય પ્રમુખ જામસંગ પરમારે જણાવેલ કે મહેસુલી કર્મચારીઓનો અચોક્કસ મુદ્તની હડતાલના કાર્યક્રમનું આયોજન યથાવત્ જ છે. આગામી સમયમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આ કાર્યક્રમ પણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial