Advertisement
Author: નોબત સમાચાર

દિગ્જામ વિસ્તારના ઝુંપડા સહિતના મિલકત ધારકોને રેલવેની નોટિસ

જગ્યા ખાલી કરવાની માંગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના દિગ્જામ વિસ્તારમાં અનેક મિલકતોને રેલવે દ્વારા નોટિસ પાઠવાતા દોડધામ મચી જવા પામી છે.

દિગ્જામ વિસ્તારના હનુમાન ટેકરી, ગણપતનગર, સિદ્ધાર્થનગર, બાબરીવાસ,, દેવનગર, જોગણીનગર અને રેલવે લાઈનની આજુબાજુના વિસ્તારના અનેક લોકો વર્ષોથી વસવાટ કરે છે. રેલવે દ્વારા સમયાંતરે મકાન ખાલી કરાવવાની નોટિસો અપાતી રહે છે. આ બાબતે સ્થાનિકો અને અસરગ્રસ્તો દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે તેઓ માટે પ્રથમ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. આ પ્રશ્ને હાઈકોર્ટમાં પણ દાદ માંગવામાં આવી છે. જેમાં જે તે સમયે સ્ટેટસ-કો. જાળવી રાખવા હુકમ થયો હતો. જે આજે પણ અમલમાં છે.

આમ છતાં નોટિસો પાઠવવામાં આવી છે. આમ, ગેરકાયદા રીતે નોટિસો આપી દબાણ કરવામાં આવે છે. આથી રેલવે વિભાગે આપેલી નોટિસો પરત ખેંચવામાં આવે, અને ઝુંપડા દૂર ખસેડતા પહેલા તેના રહેવાસીઓ માટે પૂનર્વસનની વ્યવસ્થા કરવી જોઈએ. આથી, તમામ અસરગ્રસ્તો માટે આવાસીય સુવિધા આપવા પૂનઃ માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh