Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટે અપીલ સ્વીકારી જામીન આપ્યાઃ
જામનગર તા. ૨૩: ખંભાળિયા પંથકમાં એક સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના ગુન્હામાં પરપ્રાંતીય આરોપીને અદાલતે ૨૦ વર્ષની કેદ-દંડ ફટકાર્યાે હતો. આ આરોપીએ હાઈકોર્ટમાં અપીલ નોંધાવી જામીન માંગતા હાઈકોર્ટે તેને જામીનમુક્ત કર્યાે છે.
ખંભાળિયા ૫ોલીસ મથકમાં થોડા સમય પહેલાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી કરણ ભગવાનસિંગ રાજપૂત નામનો મધ્યપ્રદેશનો શખ્સ અપહરણ કરી ગયો હતો. જ્યાં આ શખ્સે તે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ બાબતની પોલીસમાં ફરિયાદ થતાં આઈપીસી તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યાે હતો. આ આરોપીએ હાઈકોર્ટમાં અપીલ નોંધાવી જામીન અરજી કરી હતી. હાઈકોર્ટે અપીલ સ્વીકારી આ આરોપીને રૂ।.૧૦ હજારના જામીન પર મુક્ત કર્યાે છે. આરોપી તરફથી વકીલ મોહસીન ગોરી, તન્મય કારીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial