Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગાય ગૂમઃ મહિલા કોંગી કોર્પોરેટરે બનાવ્યો વીડિયો

સ્ટાફ 'વહીવટ' કરી લેતો હોવાનો આક્ષેપ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગાય ગુમ થઈ ગયાનો કોંગી કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે, અને ઢોરના ડબ્બાનો સ્ટાફ રસ્તામાં ગાયો છોડી મુકવાનો વહીવટ કરી લેતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

જામનગર શહેરમાં રખડતા પશુઓને પકડવામાં અને પકડાયા પછી પણ છોડી મુકવામાં આર્થિક વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર દ્વારા કરાયો છે. એક પશુપાલક પોતાની પકડાયેલી ૩ ગાયો છોડાવવા જતાં ડબ્બામાં તેની બે જ ગાયો જોવા મળી અને ત્રીજીની માહિતી ખુદ કર્મચારીઓ પાસે પણ ન હોવાનું અને સી.સી.ટી.વી. કેમેરા પણ દસ દિવસથી બંધ હોવાનું સામે આવતાં પશુપાલક અને સાથે આવેલા મહિલા કોંગી કોર્પોરેટરે વીડીયો બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ચાલતા રગડ-ધગડ વહીવટ અને પશુ પકડવામાં તેમજ અધવચ્ચે છોડી મુકવામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે.

નવાગામ ઘેડમાં રહેતા નાવિક ચાવડા નામના યુવકની ત્રણ ગાયો કોર્પોરેશનની પશુ પકડવાની ટિમ વગેરે પકડી ગયા હતા. તેથી તેણે તંત્ર પાસેથી વિગતો મેળવીને ગાયને જ્યાં રાખી હતી. તે રણજીતસાગર ડેમ નજીકના કોર્પોરેશનના ડબ્બામાં ગયો હતો. જ્યાં તે ગાય દીઠ દંડની રકમ આપવા માંગતો હતો. પરંતુ પકડાયેલી ૩માંથી બે જ ગાયો જોવા મળતાં તેણે પોતાના વિસ્તારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને જાણ કરી હતી. તેમજ તેઓને પણ વાસ્તવિક્તા દેખાડવા બોલાવ્યા હતા. જ્યાં માલધારી યુવક અને તેની સાથેના તમામે તપાસ કરતાં ત્રીજી ગાય મળી આવી ન હતી. તેથી તેઓએ સ્ટાફને સવાલ કર્યો હતો કે, ઉંચી વંડીવાળી જગ્યા છે અને બે દરવાજે તાળા છે. તો ગાય ગઈ ક્યાં ? પરંતુ આ પશ્નનો જવાબ સ્ટાફ આપી શક્યો ન હતો. તેથી યુવકો અને મહિલા કોર્પોરેટરએ સીસી કેમેરાના ફુટેજ માંગતા સ્ટાફે ૧૦ દિવસથી કેમેરા બંધ હોવાનું જાણવા મળતાં તે સ્થળનો વિડીયો બનાવ્યો હતો. જેમાં પશુપાલક યુવાનોને આક્ષેપ કર્યો હતો કે, ઢોરના ડબ્બા સુધી પશુઓ પહોંચે ત્યાર પહેલા પશુ પકડ પાર્ટીવાળા વહીવટ કરીને ગાયોને અધવચ્ચે છોડી મુકે છે. ઉપરાંત ઢોરના ડબ્બે આવેલી ગાયોમાંથી અમુકને પાછલે બારણેથી જવા દેવામાં આવે છે.

આ ગાય ક્યાં જાય છે ? કે કોણ લઈ જાય છે ? તે તપાસનો વિષય છે. આ મામલે તા.૨૭ના આવેદન આપવામાં આવશે. તેમ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh