Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત વર્ષ દરમ્યાન ૭૬૮૦ દર્દીઓએ લાભ લીધો
દ્વારકા તા. ૨૫ઃ દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામિ સદાનંદ સરસ્વતી મહારાજ પ્રેરિત વરવાળા ગામમાં કાર્યરત ફ્રી આયુર્વેદ ઔષધાલયનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયેલ છે. ગત વર્ષ દરમ્યાન ઓખામંડળ તાલુકાના કુલ ૭૬૮૦ જરૂરતમંદ દર્દીઓએ વિનામૂલ્યે ચાલતા આયુર્વેદ ઔષધાલયનો લાભ લીધેલ છે.
વરવાળા ટી.બી. સેનેટોરિયમ બિલ્ડીંગ પાસે શંકરાચાર્ય જનરલ આયુર્વેદ હોસ્પિટલમાં કોઈપણ જાતિના ભેદભાવ વિના શુદ્ધ આયુર્વેદ ઔષધો વિનામૂલ્યે (ફ્રી) આપવામાં આવે છે. સોમવારથી શુક્રવાર પાંચ દિવસ સુધી કાર્યરત આયુર્વેદ ઔષધાલયમાં વરવાળા ઉપરાંત શિવરાજપુર, ભીમરાણા, મોજપ, વસઈ, સુરજકરાડી, આરંભડા, ઓખા-બેટ, દ્વારકા, શામળાસર, ભાટીયા, લાંબાગામ વગેરે ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ દર્દીઓ પોતાના નિદાન-સારવાર માટે આવે છે. દર્દીઓને આયુર્વેદની દવાઓ આપવા ઉપરાંત પ્રીવેન્સન અને અવેરનસ અંતર્ગત જનજાગૃતિ અભિયાન માટે જુદી જુદી પત્રિકાઓ (પેમ્પલેટ)નું પણ વિતરણ કરવામાં આવે છે. હાલમાં ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવાના ઉપાયો દર્શાવતી તથા મેલેરિયાથી બચવાના ઉપાયો માટેની પત્રિકાઓનું વિતરણ ચાલુ જ છે.
શારદાપીઠ દ્વારકાના મંત્રી નારાયણાનંદજીના માર્ગર્શન હેઠળ આયુર્વેદ ઔષધાલયમાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સેવાનિવૃત્ત ૩૩ વર્ષના અનુભવી વૈદ્ય ડી.પી. મહેતા પોતાની માનદ સેવા આપે છે. દ્વારકાના વિજયભાઈ ભાયાણી, અશ્વિનભાઈ મનાણી, મોહનભાઈ નકુમ અને ભરતભાઈ બુજ્જડ વગેરેનો સહયોગ મળતો રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial