Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ફાચરિયા ગામનો બનાવઃ
જામનગર તા. ૨૬: જામનગર તાલુકાના ફાચરિયા ગામના ખેડૂતની જમીનમાંથી મંજુરી વગર વીજલાઈન પસાર કરવામાં આવી છે, તેને દૂર કરી તે અંગેનું વળતર ચૂકવવાની માગણી કરવામાં આવી છે.
વાપીમાં રહેતા રૂમિત વિરપાર શાર્ડ (દોઢિયા) એ જામનગર જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, જામનગર તાલુકાના ફાચરિયા ગામમાં પોતાની ખેતીની જમીન આવેલ છે. તેમાંથી પોતાની કોઈપણ જાતની મંજુરી વગર વીજલાઈન પસાર કરવામાં આવી છે. આ બાબતે કોઈ વળતર પણ ચૂકવાયું નથી. આથી નાણામાં નિવારી શકાય નહીં તેવું નુક્સાન થયું છે. જો કોઈ અકસ્માત થશે તો માનવ જાનહાનીની શક્યતા છે. તેમજ ભવિષ્યમાં જ્યારે આ જમીનને બિનખેતીમાં ફેરવવાની તજવીજ કરવામાં આવે ત્યારે આ વીજલાઈનના કારણે પરેશાનીનો સામનો કરવો પડશે. તેમજ વીજલાઈનના નિચેની જમીનમાં વૃક્ષનું વાવેતર પણ કરી શકાતું નથી તેથી લાંબાગાળે મોટું આર્થિક નુક્સાન થાય છે. આ વીજલાઈન સુઝલોન કંપની દ્વારા નાખવામાં આવી છે. આથી અમારી ખાનગી જમીનમાં પૂર્વ મંજુરી વગર અને ગેરકાયદે પ્રવેશ કરીને વીજલાઈન નાખનારા જવાબદારો સામે પગલાં લેવા અને વીજલાઈનદૂર કરવા અને અમોને થયેલ નુક્સાન બદલ ન્યાયિક વળતર આપવું જોઈએ તેવી માગણી પણ રૂમિત શાહએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial