Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ ઉપકરણના વ્યવસાયમાં વધુ નફાની લાલચે આસામીએ ગૂમાવ્યા રૂ.૧૦ લાખઃ
જામનગર તા. ૭: જામનગરમાં ઈન્ટીરીયર ડેકોરેશનનું કામ કરતા એક મહિલાએ બાકી નીકળતા રૂ.૪ લાખ ૨૦ હજાર ન ચૂકવનાર એક મહિલા, તે પૈસા અપાવી દેવાની ખાતરી આપનાર બીજા મહિલા તથા વોટ્સએપ પર મેસેજ કરી હેરાન કરતા ત્રીજા મહિલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી એ ડિઝાઈનીંગનું કામ કર્યા પછી તેઓને બાકી રકમ ચૂકવવાની બદલે ગલ્લા તલ્લા કરાતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. જયારે એક આસામીને વીજ ઉપકરણના વ્યવસાયમાં વધુ નફો મળશે તેવી લાલચ બતાવી ઉપરોકત ત્રણેય મહિલાએ વિશ્વાસઘાત કરી રૂ.૧૦ લાખથી વધુ રકમ મેળવી લીધા અંગેની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના જોગર્સ પાર્ક નજીક એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ઈન્ટીરીયર ડેકોરેશનનો વ્યવસાય કરતા નીલુબેન કીર્તિભાઈ શાહ નામના મહિલાને ગયા સપ્ટેમ્બર મહિનામાં ચાર્મીબેન ગજાનંદ વ્યાસ નામના મહિલાએ પોતાના મકાનમાં ડિઝાઈનીંગનું કામ કરવા માટે જણાવ્યું હતું.
સાઈટ વિઝીટ કર્યા પછી નીલુબેને રૂ.પ લાખમાં કામ કરી આપવા સહમતી આપતા કટકે કટકે રૂ.૮૦ હજાર ચાર્મીબેને ચૂકવ્યા હતા અને રૂપિયા ર૮૪૫૦૦નો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નીલુબેને પોતાના બાકી રહેતા રૂ.૪ લાખ ૨૦ હજારની માગ કરી હતી. તે પછી ખોડિયાર કોલોનીમાં રહેતા જાગૃતિબેન વ્યાસે તે રકમ અપાવી દેવાની ખાતરી આપી હતી.
તે રકમ આપવામાં આવી ન હતી અને નાહલાબાનુ મેમણ નામના મહિલાએ વોટ્સએપ પર નીલુબેનને મેસેજ કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેઓની રકમ આપવાની બદલે ગલ્લા તલ્લા કરાતા આખરે નીલુબેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર્મીબેન ગજાનંદ વ્યાસ, જાગૃતિબેન વ્યાસ, નાહલાબાનુ મેમણ સામે ફરિયાદ નોંધાવી છે. જામનગરના ગોકુલનગર નજીક માધવ બાગ-૧માં કોપર સિટીમાં રહેતા નિમેશભાઈ દિલીપભાઈ શેઠ નામના આસામીએ પણ પટેલકોલોની શેરી નં.૪માં રહેતા ચાર્મીબેન ગજાનંદ વ્યાસ, નાહલાબાનુ મેમણ તથા જાગૃતિબેન વ્યાસ સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.
તેઓએ જણાવ્યા મુજબ પટેલકોલોનીમાં ઓર્ચીડ એવન્યુ સ્થિત બી/૧૦૩માં રહેતા ચાર્મીબેનનો સંપર્ક થયા પછી શ્રીજી એન્ટરપ્રાઈઝ નામની ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતી પેઢી ચલાવી ટીવી, એસી સહિતના ઈલેકટ્રીક ઉપકરણોના વ્યવસાયમાં વધુ નફો કમાવવા લાલચ આપી નિમેશભાઈ પાસે જુદા જુદા સમયે રૂ.૧૦ લાખ ૯ હજાર ૯૦૦ મેળવી લીધા હતા અને તે પછી પૈસા પરત આપ્યા ન હતા કે નફાની રકમ પણ પાછી આપી ન હતી. આ વ્યક્તિઓએ વિશ્વાસઘાત કર્યાની રાવ કરાતા પીઆઈ પી.પી. ઝાની સુચનાથી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial