Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા યાત્રાધામમાં ત્રણ દિવસની રજાઓમાં યાત્રિકો ઉમટી પડવાની ધારણા

દેશભરમાંથી દ્વારકા આવતી તમામ ટ્રેનો હાઉસફૂલઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૩: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી (શનિ-રવિ-સોમ) ની ત્રણ દિવસની રજાઓમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડવાની ધારણા છે.

આ મીની વેકેશન જેવી સ્થિતિમાં દેશભરમાંથી યાત્રિકો આવશે. હોટલોમાં નોંધપાત્ર બુકીંગ થઈ ગયા છે. દ્વારકાધીશ મંદિરમાં પણ ઠાકોરજીના મનોરથ, ધ્વજાજીના મનોરથના ધાર્મિક પ્રસંગો થવાના છે.

આ ઉપરાંત બેટદ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીચ સહિતના સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડશે.

દેશભરમાંથી દ્વારકા આવતી ટ્રેનો હાઉસફૂલ આવે છે. સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી વંદે ભારત ટ્રેન સહિત દ્વારકા યાત્રાધામને જોડતી અનેક લાંબા અંતરની ટ્રેનો શરૂ થઈ છે, જેના કારણે પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh