Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખાના આર.કે. બંદર પર કરવામાં આવ્યું ચેકીંગઃ
જામનગર તા. ૧૯ : ઓખાના આર.કે. બંદર પર ગઈકાલે માછીમારી કરીને આવેલી એક બોટના માછીમારે ફીશરીઝ વિભાગમાં અગાઉનું ટોકન જમા કરાવ્યા વગર જૂના ટોકન પર માછીમારી કરી હોવાનું જણાઈ આવતા પોલીસે ખુદ ફરિયાદી બની તેની સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
ઓખાના દરિયાકાંઠે ગઈકાલે ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન આર.કે. બંદર પર આવેલી એક માછીમારી બોટની ચકાસણી કરવામાં આવી હતી.
બોટની ચકાસણી દરમિયાન તે બોટના માછીમાર આરંભડાના શબ્બીર કરીમભાઈ સંઘાર પાસે ટોકન જોવા માંગવામાં આવતા આ શખ્સે ફીશરીઝ વિભાગ પાસેથી માછીમારી કરવા માટે દરિયામાં જવા અંગે મેળવેલુ ટોકન જમા ન કરાવ્યાનું અને જૂના ટોકન પર માછીમારી કરીને આવ્યો હોવાનું જણાઈ આવતા જમાદાર એસ.બી. જાડેજાએ ખુદ ફરિયાદી બની શબ્બીર સંઘાર સામે ગુજરાત ફીશરીઝ એક્ટ તથા ફીશરીઝ નિયમની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial