Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવાર માટે યુવાનને જેલમાંથી અપાઈ હતી રજાઃ
જામનગર તા. ૧૯ : ધ્રોલમાં રહેતા એક યુવાનનું કેન્સરના અંતિમ સ્ટેજમાં પહોંચ્યા પછી કેન્સરની ગાંઠ ફૂટી જતા મૃત્યુ થયું છે. હત્યાના એક ગુન્હામાં આ યુવાન જામનગરની જેલમાં હતા. તેઓને સારવાર માટે જેલમાંથી રજા આપવામાં આવી હતી. ખંભાળિયાના ધરમપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો હતો.
ધ્રોલ શહેરમાં ચામુંડા પ્લોટમાં રહેતા મુન્નાભાઈ ભીખાભાઈ સોલંકી (ઉ.વ.૪૦) નામના યુવાનને મ્હોંનું કેન્સર થઈ ગયું હતું. આ યુવાન તેના અંતિમ સ્ટેજમાં આવી ગયા હતા. આ યુવાનના મ્હોંમાં કેન્સરની ગાંઠ ફૂટી જતા તેઓ છેલ્લા બે-ત્રણ દિવસથી ખોરાક લઈ શકતા ન હતા. આ યુવાનનું મોડીરાત્રે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે તેમના નાનાભાઈ નારણભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મુન્નાભાઈ સામે અગાઉ હત્યાનો એક કેસ નોંધાયો હતો. તે કેસમાં જેલહવાલે રહેલા મુન્નાભાઈને જેલમાં હતા ત્યારે જ મોઢાનું કેન્સર હોવાનું ખૂલ્યું હતું તેની સારવાર શરૂ કરવામાં આવી હતી અને વધુ સારવાર માટે જેલમાંથી તેઓને રજા પણ આપવામાં આવી હતી. ઘરે રહીને મુન્નાભાઈ સારવાર મેળવતા હતા. તે દરમિયાન કેન્સરની ગાંઠ ફૂટી ગઈ હતી.
ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના આંબાવાડીમાં રહેતા નાનજીભાઈ પ્રેમજીભાઈ કણઝારીયા નામના પ્રૌઢને ગઈકાલે બપોરે હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતા તેઓનું મૃત્યુ થયું છે. જતીનભાઈ નાનજીભાઈ કણઝારીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial