Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષાની પાછળ સ્કૂટર ટકરાતા યુવાનને ફ્રેક્ચરઃ
જામનગર તા. ૧૭: જામનગર-જોડિયા રોડ પર માવનુગામના પાટીયા પાસે દસેક દિવસ પહેલાં એક મોપેડને અર્ટીગા મોટરે ઠોકર મારતા મોરબીના ધુળકોટના વૃદ્ધ ઘવાયા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ચાર દિવસ પહેલાં ગોરધનપર ગામના પાટીયા પાસે રિક્ષાની પાછળ સ્કૂટર ટકરાઈ પડતા નાઘેડી ગામના એક યુવાનને જડબાના ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે.
મોરબી જિલ્લાના ધુળકોટ ગામના શિવલાલભાઈ ગોવિંદભાઈ પોરીયા નામના સાંઈઠ વર્ષના કડિયા વૃદ્ધ ગઈ તા.૫ની બપોરે જીરાગઢ ગામમાં મગફળીનો ભૂક્કો ટ્રેક્ટરમાં ભરાવવા માટે જીજે-૩-એચએન ૬૫૬૧ નંબરના મોપેડમાં જીરાગઢ ગયા પછી ત્યાંથી બપોરે ત્રણેક વાગ્યે માવનુગામના પાટીયા પાસેથી પસાર થતા હતા.
આ વેળાએ આમરણથી ભાદરા તરફ દોડી જતી જીજે-૧૨-એફઈ ૩૧૦૨ નંબરની મોટરના ચાલકે શિવલાલને હડફેટે લીધા હતા. રોડ પર પછડાયેલા આ વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા શિવરાજભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર નિકુલભાઈ ઉર્ફે જીજ્ઞેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ગોરધનપર ગામના પાટીયા પાસેથી ગયા બુધવારે બપોરે મૂળ લાખાણી ગામના અને હાલમાં આદિનાથ સોસાયટી પાછળ માધવ રેસીડેન્સી-રમાં રહેતા જયરાજસિંહ નાનભા જાડેજા જીજે-૧૦-સીપી ૮૧૦ નંબરના સ્કૂટર પર જતા હતા ત્યારે પાછળથી આવેલી જીજે-૧૦-એવી ૨૩૯૧ નંબરની રિક્ષાના ચાલકે તેઓને ઓવરટેક કરી આગળ જઈ રિક્ષામાં બ્રેક મારતા તેની પાછળ જયરાજસિંહનું સ્કૂટર ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં ફ્રેકચર સહિતની ઈજા થવાથી જયરાજસિંહને દવાખાને ખસેડાયા છે. તેઓએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial