Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની આરટીઓ કચેરીમાં એજન્ટ તથા અધિકારી વચ્ચે બોલાચાલી પછી ધોલધપાટ

પોલીસમાં નથી કરવામાં આવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરની આરટીઓ કચેરીમાં ગઈકાલે આસી. આરટીઓ અધિકારી તથા એક એજન્ટ વચ્ચે બોલાચાલી થયા પછી અધિકારીને ધોલધપાટ કરવામાં આવી હોવાનંંુ જાણવા મળી રહ્યું છે. આ બાબતની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

જામનગરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ગઈકાલે બપોરે પોતાના ગ્રાહકના કામ માટે આવેલા એક એજન્ટ તથા આસી. આરટીઓ તરીકે ફરજ બજાવતા અધિકારી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા પછી આ અધિકારીને ધોલધપાટ થયાનું જાણવા મળી રહ્યું છે.

આ બાબતે જો કે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ અધિકારીએ ઝઘડા પછી પોલીસને બોલાવી હતી. દોડી આવેલી પોલીસ ટીમે આ અધિકારીનું નિવેદન નોંધ્યંુ છે. હાલમાં મુખ્ય આરટીઓ ઉપાધ્યાય બહારગામ હોવાથી તેઓ હાજર થાય પછી પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh