Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હિમાલય સોસાયટીમાં અકળ કારણથી યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા

નાઘુનામાં ગળાટૂંપો ખાનાર યુવાનનું નિપજ્યું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરની હિમાલય સોસાયટીમાં રહેતા એક યુવાને ગઈકાલે બપોરથી સાંજ સુધીમાં પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે નાઘુના ગામમાં પણ એક યુવાને અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે.

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલી હિમાલય સોસાયટીની શેરી નં.૪માં વસવાટ કરતા બ્રિજરાજસિંહ દશરથસિંહ વાળા (ઉ.વ.રપ) નામના યુવાને ગઈકાલે બપોરે બે વાગ્યાથી સાંજના સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં એક પંખાના હુંકમાં સાડી બાંધીને કોઈ અકળ કારણથી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે.

આ બાબતની સાંજે તેમના પરિવારને જાણ થઈ હતી. પિતા દશરથસિંહ સતુભા વાળાએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ એન.એન. ઝાલાએ મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડવા ઉપરાંત આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના નાઘુના ગામમાં વસવાટ કરતા ઋષિરાજસિંહ રણજીતસિંહ કેશુર (ઉ.વ.૨૬) નામના યુવાને ગઈકાલે બપોરે બે વાગ્યા પહેલાં કોઈ અગમ્ય કારણથી પોતાના ઘરમાં સાડી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેની પરિવારને જાણ થતાં આ યુવાનને નીચે ઉતારી ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં આ યુવાનને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના નાનાભાઈ હરપાલસિંહનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh