Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જીઆઈડીસીના એક કારખાનામાં
જામનગર તા. ૩: જામનગરના જીઆઈડીસી ફેસ-ર વિસ્તારના એક કારખામાં સેફ્ટી સાફ કરવા જનારા ચાર કર્મચારીને ગેસ ગળતરની વિપરીત અસર થવા પામી હતી, જેમાં એક કર્મચારીને વધુ અસર થવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગઈકાલે જીઆઈડીસી વિસ્તારમાં એક કારખાનાની સેફટી ટેન્ક સફાઈ કરવાની કામગીરી શનિ રમેશભાઈ વાઘેલા, હસમુખ જગદિશભાઈ કબીરા, શૈલેષ રમેશભાઈ વાઘેલા અને કલ્પેશ વિજયભાઈ મકવાણા દ્વારા કરવામાં આવતી હતી ત્યારે ગેસ ગળતરની અસર થતા બૂમાબૂમ કરવામાં આવી હતી. આમાંથી ત્રણને માત્ર સામાન્ય અસર જોવા મળી હતી, પરંતુ શનિ રમેશભાઈ વાઘેલાને વધુ અસર થતા તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
બીજી તરફ આ બનાવની જાણ થતા શનિ વાઘેલાના પરિવારજનો ઉપરાંત રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના ઉપાધ્યક્ષ મહેશ બાબરિયા પણ મદદ માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતાં, જ્યારે ઘટનાના પગલે સેફ્ટી સફાઈની કામગીરી રોકી દેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial