Advertisement
Author: નોબત સમાચાર

અજિત પવારના આકસ્મિક નિધન અંગે દિગ્ગજ રાજનેતાઓની પ્રતિક્રિયાઓઃ શ્રદ્ધાંજલિ

કુટુંબીજનોનો કલ્પાંતઃ શોકમગ્ન સમર્થકો ધ્રુસકે ધ્રુસકે રડયાઃ ગમગીની છવાઈ

                                                                                                                                                                                                      

મુંબઈ/ નવી દિલ્હી તા. ૨૮: આજે એક તરફ સંસદનું બજેટસત્ર શરૂ થવા જઈ રહ્યું હતું, તેવા જ સમયે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થતા મુંબઈ, મહારાષ્ટ્ર અને દેશભરમાંથી દિગ્ગજ રાજનેતાઓએ પ્રતિક્રિયાઓ સાથે દુઃખ વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોનું બારામતીમાં પ્લેન ક્રેશ થતાં નિધન થઈ ગયું. જેને લઈને આખા ભારતમાં હડકંપ મચી ગયો. દિગ્ગજ નેતાના નિધન પર હવે રાજકારણ સહિત દેશભરમાં શોકની લાગણી જોવા મળી રહી છે, અને દિગ્ગજ રાજનેતાઓએ પ્રતિક્રિયા સાથે દુઃખ વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મહારાષ્ટ્રની સરકારમાં ભાજપના સહયોગી અજિત પવારના નિધન પર ખુદ વડાપ્રધાન મોદી પણ દુઃખી થયા છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે મહારાષ્ટ્રના બારામતીમાં એક દુઃખદ ઘટના બની. અજિત પવાર એક લોકનેતા હતા. તેમણે લોકોની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધી

વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધન અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહૃાું, *મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમના સહ-યાત્રીઓના વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં હું મહારાષ્ટ્રના લોકો સાથે છું. આ દુઃખની ઘડીમાં હું સમગ્ર પવાર પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.*

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અજિત પવારના નિધન અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મહારાષ્ટ્રમાં બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત અનેક લોકોના નિધનના અહેવાલ અત્યંત દુઃખદ છે. અજિત પવારનું અકાળે નિધન એક પૂરી ના શકાય તેવી ક્ષતિ છે. તેમણે મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં ખાસ યોગદાન આપ્યું જે હંમેશા યાદ રખાશે.

નાયબ મુખ્યમંત્રી  એકનાથ શિંદે

મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારમાં પોતાના સહયોગી અજિત પવારના નિધન પર ભાવુક થઈ ગયા. તેમણે કહૃાું કે મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ છે.

મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહૃાું કે મને ઊંડો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. જો કે, આ ઘટનાની સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ થવી જોઈએ.

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ અજિત પવારના નિધન પર પ્રતિક્રિયા આપતા દુઃખ વ્યકત કરીને શોકાજંલિ પાઠવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અજિત પવારના નિધન વિશે કહૃાું કે મહારાષ્ટ્રમાં આજે એક દુઃખદ ઘટના બની. જેમાં અમારા એનડીએના સાથી અજિત પવારને ગુમાવી દેવાથી હું વ્યથિત છું. તેમણે સાડા ત્રણ દાયકા સુધી મહારાષ્ટ્રના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી.

મમતા બેનર્જી

અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતા પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહૃાું કે, હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઈ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આ દેશમાં કોઈ સુરક્ષિત નથી, રાજકીય નેતાઓ પણ નહીં. મને જાણવા મળ્યું છે કે એક નેતાએ હાલમાં જ કહૃાું હતું કે અજિત પવાર ભાજપ સાથે છેડો ફાડવાના હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સઘન તપાસ થવી જોઈએ.

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના દુઃખદ વિમાન દુર્ઘટનામાં થયેલા અકાળ નિધનથી હું આઘાત પામ્યો અને ખૂબ જ દુઃખી છું. તેમનું અચાનક નિધન જાહેર જીવન અને મહારાષ્ટ્રના રાજકારણ માટે એક મોટું નુકસાન છે, જ્યાં તેમણે અનુભવ અને દૃઢ નિશ્ચય સાથે સેવા આપી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના, અને આ દુઃખની ઘડીમાં શક્તિ માટે પ્રાર્થના. ઓમ શાંતિ.

યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર પ્રતિક્રિયા આપતા વિમાન દુર્ઘટનાને સીએમ યોગીએ દુઃખદ ગણાવી હતી. તેમણે કહૃાું કે મારું હ્ય્દય ચીરાઈ ગયું છે. અજિત પવારને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ.

પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતી

જમ્મુ-કાશ્મિરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ કહૃાું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય લોકોના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવવાના દુઃખદ અહેવાલોથી ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્ય્દયપૂર્વકની સંવેદના. મૃતકોના આત્માઓને શાંતિ મળે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh