Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંનેને ફરિયાદ ખર્ચ પણ ચૂકવવા કરાયો હુકમઃ
જામનગર તા. ૨૯: જામનગરના બે આસામીએ જુદી જુદી બે કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યા પછી સારવાર લેવી પડી હતી. તે બંને કંપનીએ સારવારનો ખર્ચ ચૂકવવાનો ઈન્કાર કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યાે છે.
જામનગરના ૫રેશભાઈ કાંતિલાલ રૂપારેલ નામના આસામીએ કેર હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ પોલિસી મેળવી હતી. તે પછી ગયા ઓગસ્ટ મહિનામાં તેઓ જામનગરની અને ત્યારપછી રાજકોટની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને બે દિવસ સુધી જામનગરની અન્ય ખાનગી હોસ્પિટલમાં તેઓએ સારવાર લેવી પડી હતી. જેમાં કુલ રૂ।. ૪૦૬ ૭૦૪નો ખર્ચ થયો હતો.
તે રકમનો ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે ફરિયાદ મંજૂર રાખી નવ ટકા વ્યાજ સાથે અને રૂ।.પ હજાર ફરિયાદ ખર્ચના અલગથી ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.
જામનગરના જય અશોકભાઈ જોબનપુત્રાએ એચડીએફસી અર્ગાે ઈજનરલ ઈન્સ. કંપની પાસેથી પોલિસી મેળવ્યા પછી વર્ષ ૨૦૨૪ના જુલાઈ મહિનામાં તેઓને પગમાં દુખાવો થયો હતો. જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા પછી નવેમ્બર મહિનામાં અમદાવાદમાં સારવાર કરાવવી પડી હતી જેમાં રૂ।.૩,૪૧,૬૪૪નો ખર્ચ થયો હતો. તે ક્લેઈમ પણ વીમા કંપનીએ રદ્દ કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ફરિયાદ ખર્ચના રૂ।.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. બંને ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial