Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષકની અમરેલી જિલ્લામાં બદલી

જામનગર રૂરલ ડીવાયએસપી દ્વારકામાં મૂકાયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨: દ્વારકા જિલ્લાના એસસી-એસટી સેલમાં ડીવાયએસપી તરીકે મૂકાયેલા એક અધિકારીને ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠીમાં મૂકી દેવામાં આવ્યા છે. તેઓના સ્થાને જામનગર ગ્રામ્યના ડીવાયએસપીની નિયુક્તિ કરાઈ છે અને જામનગર ગ્રામ્યમાં નવા અધિકારીની નિમણૂક થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસસી-એસટી સેલમાં ડીવાયએસપી તરીકે થોડા સમય પહેલાં જ ગિર સોમનાથ જિલ્લામાંથી મૂકવામાં આવેલા ડીવાયએસપી વિસ્મય માનસેતાની બદલી કરવામાં આવી છે.

આ અધિકારીને અમરેલીના લાઠીમાં ડીવાયએસપી તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્ટાફે જામનગરથી ગ્રામ્ય ડીવાયએસપી મિત રૂદલાલને મૂકી દેવાયા છે અને જામનગર ગ્રામ્ય ડીવાયએસપી તરીકે પિયુષ વંદાની નિયુક્તિ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh