Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના મંદિરના શિખરે ગઈકાલે અડધી કાઠીએ ધ્વજા ચઢાવાઈ

ખરાબ હવામાનના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર ગઈકાલે અડધી કાઠીએ ધ્વજા ફરકાવાઈ હતી. ખરાબ હવામાનના કારણે આમ કરવાની ફરજ પડી હતી.

કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણ બદલાયું છે. તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે, જ્યારે જગત મંદિરના શિખર ઉપર દરરોજ છ વખત ધ્વજા ચઢાવવામાં આવે છે, પરંતુ ગઈકાલે ખરાબ તાપમાનના કારણે અને તેજ ગતિએ ફૂંકાતા પવનના કારણે મંદિરના શિખર ઉપર અડધી કાઠીએ ધ્વજા ચઢાવાઈ હતી.

દ્વારકાના ત્રિવેદી પરિવારના યુવાનો ૧પ૦ ફૂટની ઊંચાઈએ દરરોજ ધ્વજા ચઢાવવાનું કામ કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh