Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન મોદીના જન્મદિન - સેવા પખડાવડીયા અંતર્ગત
જામનગર તા. ૬: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ નિમિત્તે સેવા પખવાડીયા અંતર્ગત તેઓના જીવન કવન ઉપર વ્યાખ્યાન સ્વરૂપે બૌદ્ધિક સંમેલન રાખવામાં આવ્યું હતું. આ તબક્કે વક્તા તરીકે ખાસ પ્રશાંતભાઈ વાળા ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ નરેન્દ્રભાઈ મોદીજીના બાલ્યાવસ્થાથી લઈ વિશ્વનેતા સુધીની તેમના જીવન-કવન ઉપર ઉદ્બોધન કર્યુ હતું. નરેન્દ્રભાઈ મોદીજીનું બાળપણ અને તેમની શૌર્ય વાર્તા ઘણી પ્રેરણાદાયી છે. તેમને એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઊઠીને દેશના વડાપ્રધાન બન્યા એ પોતે એક શૌર્યગાથા સમાન છે. વધુમાં તેમણે "સ્વચ્છ ભારત અભિયાન", "મેક ઈન ઈન્ડિયા", "ડિજિટલ ઈન્ડિયા", "ઉજ્જવલા યોજના", "જનધન યોજના" વિગેરે વિષે વિસ્તૃત વિગતો જણાવી હતી.
કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ બિનાબેન કોઠારી, મુખ્ય વકતા પ્રશાંતભાઈ વાળા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ ઠુમ્મર, સુભાષભાઈ જોશી, પૂર્વ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, ગોવાશિપયાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા સહિત કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, વોર્ડ સમિતિના સભ્યો, શહેર સંગઠન, ભાજપ અગ્રણીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત વોર્ડ સમિતિ, પેઈજ પ્રમુખ, સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial