Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના આસિ. કમિશ્નર (વહીવટ) તરીકે મુકેશ વરણવાને અપાતી નિમણૂક

જામનગરના મ્યુનિ. કમિશનરે કર્યો વિધિવત્ આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર મહાનગરપાલિકામાં આસીસ્ટન્ટ કમિશનર તરીકે મ્યુનિ. કમિશનર દ્વારા વિધિવત આદેશ કરી દેવામાં આવ્યો છે. સરકારમાંથી મંજુરી મળતા જ આ આદેશ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકામાં આસ. કમિશનર (વહીવટ) તરીકે મુકેશ વરણવાને વિધિવત આદેશ કરી નિમણૂક આપી દેવામાં આવી છે.

થોડા સમય પહેલા જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ચાર અધિકારીને બઢતી આપતો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો, અને તેને મંજુરી માટે સરકારમાં મોકલાયો હતો.

આ પછી ચારેય કેસમાં કેટલીક કવેરી અને પૂર્તતા માંગવામાં આવી હતી જે અંગે જરૂરી પુર્તતા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા ગત્ શનિવારે શહેરી વિભાગ દ્વારા મુકેશ વરણવાના બઢતીના આદેશને માન્ય રાખી મંજુરી આપી હતી. જેના અનુસંધાને ગત્ શનિવારે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા આસી. કમિશનર (વહીવટ) તરીકે મુકેશ વરણવાના નામનો વિધિવત આદેશ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh