Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર

અક્ષય તૃતિયા નિમિત્તે આવતીકાલે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૯: યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરે આવતીકાલે વૈશાખ સુદ-૩ ને બુધવાર તા. ૩૦-૪-ર૦રપ ના અક્ષય તૃતીયા ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે. આ સાથે શ્રીજીના દર્શન ક્રમમાં ઉત્સવ અનુસાર જરૂરી ફેરફાર નોંધાયો છે. આવતીકાલે મંગલા આરતી સવારે ૬-૩૦ કલાકે, મંગલા દર્શન સવારે ૬-૩૦ થી ૮ વાગ્યા સુધી, શ્રીજીને સ્નાન (દર્શન બંધ) સવારે ૯૧૦ વાગ્યા સુધી, શ્રૃંગાર દર્શન સવારે ૧૦ થી ૧ર વાગ્યા સુધી, અક્ષય તૃતીયા ઉત્સવ દર્શન બપોરે ૧ર કલાકે, ઉત્સવ દર્શન બપોરે ૧ર થી ૧-૩૦ વાગ્યા સુધી થશે. બપોરે ૧-૩૦ થી સાંજે પ વાગ્યા સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. સાંજનો દર્શનનો ક્રમ નિત્ય ક્રમ અનુસાર રહેશે, તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ એલ. ચૌહાણએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh