Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા બે-બે મહિનાથી ત્રણેક સ્થળોએ
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયામાં પોલીસ સ્ટેશનથી ઘી ડેમ તથા ગોકુલ સોસાયટી, પ્રતાપભાઈની વાડી, સોસાયટીઓ તથા રામનાથ સોસાયટીમાંથી બંગલાવાડી, ઘી ડેમ જવાના વિસ્તારોમાં આવેલા રાવલિયા પાડા વિસ્તાર કે જ્યાથી નીકળવાના રસ્તા પર ત્રણેક સ્થળે બે માસથી ગટરો છલકાતી હોય, આ ગટરોના પાણી ઉપર શક્તિનગરની સોસાયટીની ગટરો તૂટી જતાં ઢાંકણા અંદર પડી જતા ઉભરાતી આ ગટરોનું પાણી અહીં આવતા ફૂટ બે ફૂટ પાણી રોજ ઉભરાતુ હોય, તથા ગંદકી થતી હોય, આ બાબતે રામનાથ સોસાયટીના જાગૃત નાગરિક દ્વારા આ વિસ્તારના સદસ્યા તથા પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યની જણાવતા તેમણે પાલિકાતંત્રને દોડાવીને માત્ર બે દિવસમાં આ સમસ્યા હલ કરી દેતા લોકોમાં રાહત થઈ છે. મોટા પાઈપથી ગંદા પાણીનો નિકાલ કરવા સાથે ઉપરના ઉપરના ભાગમાં ભરાયેલી ગટરો મશીનથી સાફ કરવા કાર્યવાહી કરીને ગ્રામ પંચાયત તલાટી મંત્રી તથા સરપંચનું પણ આ મુદ્દે ધ્યાન દોરીને ભવિષ્યમાં આવી રીતે ગંદુ પાણી ખંભાળીયા પાલિકા વિસ્તારમાં ન આવે તે માટે સૂચનાઓ આપી હતી.
બે માસથી છલકાતી ગટરો રસ્તા પર વહેતા ગંદા પાણી બંધ થતા આ વિસ્તારના લોકોને રાહત થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial