Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વોર્ડ નં. ૩ના કોર્પોરેટર દ્વારા યોજાશે વડીલ વંદના કાર્યક્રમ

૬૦ વર્ષથી વધુના વડીલોનું સન્માન કરાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના વોર્ડ નં.૩ના કોર્પોરેટર સુભાષ જોષી દ્વારા વડીલ વય વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નં. ૩માં રહેતા ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને સન્માનિત કરવાના અને સત્કાર વંદન કરવા માટે વડીલ વય વંદના કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં સદ્ભાગી થવા ઈચ્છનારે તા. ૫ થી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ મેળવી જમા કરાવવાના રહેશે. ફોર્મ મેળવવા માટે તુલસી ઓપ્ટિક (વિકાસગૃહ પાસે), ચંદન ટ્યુશન ક્લાસ (પટેલ કોલોની, ગેલેરીયા કોમ્પ્લેકસ), ગોકુલ પ્રોવીઝન સ્ટોર્સ (મેન્ટલ હોસ્પિટલ સામે, ગાયત્રી સ્કૂલ પાસે), જૈનમ ટ્યુશન ક્લાસ (રામેશ્વર ચોક, સરદાર ભવન પ્રથમ માળ), એકતા પ્રાથમિક શાળા (પટેલ વાડી, ટી.બી. હોસ્પિટલ પાછળ), ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી (વિશ્વકર્મા બાગ, ગાંધીનગર રોડ), અથવા ગાયત્રી ડેરી (પટેલ કોલોની શેરી નંં ૯, રોડ નં.૩) માંથી આ ફોર્મ મળી શકશે. તેમ કોર્પોરેટર સુભાષ જોશીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh