Advertisement
Author: નોબત સમાચાર

ખીજડિયા બાયપાસ પાસે વૃદ્ધાશ્રમમાં આગનું છમકલુ

સમયસર આગ કાબૂમાં આવી જતાં હાશકારોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામગનરના ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમના એક ઓરડામાં ગઈકાલે સાંજે કોઈ રીતે શોર્ટ સર્કીટ થતાં આગનું છમકલુ થયું હતુ. ધસી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે આગને કાબૂમાં લઈ લીધી હતી. તે પહેલાં વૃદ્ધાશ્રમમાં રહેલા પચ્ચીસેક જેટલા વડીલોને સહીસલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

જામનગરના ખીજડિયા બાયપાસ પાસે આવેલા અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમમાં ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે આગ લાગ્યાનો કોલ જામનગર ફાયરબ્રિગેડની ટીમને મળતા ફાયરના જવાનો મારતી ગાડીએ વૃદ્ધાશ્રમ પર ધસી ગયા હતા.

ત્યાં આવેલા સ્ટોર રૂમ જેવા એક ઓરડામાં કોઈ રીતે શોર્ટ સર્કીટ થયા પછી આગ લાગી હતી. તેને બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાણીનો સતત મારો ચલાવવામાં આવતા આગ કાબુમાં આવી જવા પામી હતી. તે પહેલાં વૃદ્ધાશ્રમમાં રહેલા પચ્ચીસ જેટલા વૃદ્ધોને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

આગના કારણે તે ઓરડામાં રાખવામાં આવેલા ફર્નિચર ઉપરાંત લાકડા તથા પાઈપ અને કબાટમાં રાખવામાં આવેલો દવાનો કેટલોક જથ્થો સળગીને ખાખ થઈ ગયો હતો. ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં આવી જતા હાશકારો અનુભવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh