Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં મંદિરોમાં વસંતપંચમીની ઉજવણીઃ ઠાકોરજીના વિશેષ શ્રીંગાર-ઉત્સવ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં મંદિરોમાં વસંત૫ંચમી પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને વિષ્ણુ મંદિરો તથા કૃષ્ણ મંદિરોમાં પરંપરાગત રીતે નિશ્ચિત વાઘા-આભૂષણ અર્પણ કરવામાં આવ્યા હતાં. ખંભાળીયા ગેઈટ બહાર આવેલ શ્રી માધવરાયજીના મંદિરે ઠાકોરજીને શ્વેત વાઘા અર્પણ કરી શુકનરૂપે અબીલ ગુલાલ, અર્પણ કરવામાં આવ્યા હતાં. તેમજ વસંતઋતુના પ્રતિકરૂપે ફૂલડાળ પધરાવવામાં આવ્યા હતાં. પુષ્ટિમાર્ગીય મંદિરોમાં વસંતપંચમીથી ફૂલડોલ ઉત્સવ સુધી ઠાકોરજીને અબીલ ગુલાલથી રંગવાની પરંપરા છે. જે ગઈકાલથી આરંભ થઈ હતી. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે પણ વસંતપંચમી નિમિત્તે ઠાકોરજીને શ્વેત વાઘા તથા સંલગ્ન આભૂષણ અર્પણ કરવામાં આવ્યા હતાં તથા સિંહાસન પર ફૂલવાડીથી સજાવટ કરવામાં આવી હતી અને કેસર દૂધનો ભોગ ધરાવી તેનું ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. ખંભાળીયા ગેઈટ બહાર કિસાનચોક પાસે આવેલ તથા શ્રી મોટી હવેલી સંચાલિત શ્રી દ્વારકાપુરી મંદિરે પણ ઠાકોરજીને શ્વેત પિછવાઈ યુક્ત વાઘા તથા વનનાં પ્રતીકરૂપ ફૂલવાડી અર્પણ કરવામાં આવ્યા હતાં. અબીલ, ગુલાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડી સ્થિત શ્રી રામ મંદિરે પણ પ્રભુને શ્વેત વસ્ત્રાલંકાર ધરાવવામાં આવ્યા હતાં. ઉપરાંત નિજ મંદિરમાં ફૂલવાડીના ઉપયોગ વડે ઉપવનમાં પ્રભુના વિહાર જેવી ઝાંખીથી ભક્તો ધન્ય થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh