Advertisement
Author: નોબત સમાચાર

આરોપીને અપીલમાં જવા રૂ.ર કરોડના જામીન આપવાનો આદેશ કરાયો સ્થગિત

ચેક પરતના કેસમાં સજા સામે અપીલનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરની અદાલતમાં મુંબઈના એક આરોપીને ચેક પરતના બે કેસમાં સજા થયા પછી આ આરોપીએ અપીલમાં જવા માટે તજવીજ કરતા સેશન્સ કોર્ટે બે કેસમાં કુલ રૂ.ર કરોડના જામીન રજૂ કરવાનો હુકમ કરતા તે હુકમને હાઈકોર્ટમાં પડકારાયો હતો. વડી અદાલતે સેશન્સ કોર્ટનો હુકમ સ્થગિત કરવાનો આદેશ કર્યાે છે.

મુંબઈના ઈકબાલ ઈસ્માઈલ શેખ નામના આસામી સામે જામનગરની કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ચેક પરતની બે ફરિયાદ કરવામાં આવી હતી. તે બંને કેસમાં અદાલતે તકસીરવાન ઠરાવી આરોપીને ઠરાવી સજા ફટકારી હતી.

સજાના તે હુકમ સામે ઈકબાલ શેખે ઉપરની અદાલતમાં અપીલ નોંધાવી હતી. તેણે કરેલી બે અપીલ પૈકી એક અપીલમાં રૂ.દોઢ કરોડ તથા બીજી અપીલમાં રૂ.અડધા કરોડના જામીન રજૂ કરવા આદેશ કરાયો હતો આ આરોપીને જામીનપાત્ર ગુન્હામાં જામીન મેળવવાનો હક્ક હોવાથી જામીન પાત્ર ગુન્હામાં કોર્ટે સખત શરત મૂકતા હાઈકોર્ટમાં આરોપીએ અરજી કરી હતી.

તે અરજી અન્વયે રજુ થયેલી દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટે જામનગરની સેશન્સ કોર્ટનો હુકમ સ્થગિત કરવાનો આદેશ કર્યાે છે. આરોપી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh