Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ રેલવે સ્ટેશનથી ગામ તરફ નવો રસ્તો બનાવવાનું કામ શરૂ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયામાં કરોડોના ખર્ચે ખંભાળિયા રેલવે સ્ટેશન નવું બની રહ્યું હોય, તથા રેલવે સ્ટેશનની નજીકના રોડ-રસ્તા બિસમાર હોય, તાજેતરમાં આ રસ્તાઓ નવા બનાવવા માટે સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા રેલવે તંત્રને સૂચના આપવામાં આવતા રેલવે તંત્ર દ્વારા નવા રેલવે સ્ટેશન બનાવવાના સંદર્ભમાં જામનગર રેલવે ફાટક તરફ બે નવા રસ્તા બનાવાયા હતાં જે રસ્તાને આગળ લંબાવાયા હતાં. તે પછી રેલવે સ્ટેશનની જડેશ્વર ચાર રસ્તા તરફના રસ્તા બનાવાયા હતાં. રેલવે સ્ટેશનની નગર ગેઈટ તરફ જતો રસ્તો પણ રેલવે તંત્ર દ્વારા નવો બનાવવાનું શરૂ કરાતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે તથા હવે થોડા જ સમયમાં રેલવે સ્ટેશનની ત્રણેય તરફના રસ્તા નવા બની જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh