Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંયુકત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત યોજના પટેલે આકરા શબ્દોમાં કાઢી ઝાટકણી
નવી દિલ્હી તા. ૨૯: ભારતે સંયુકત રાષ્ટ્રમાં આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ આપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરીને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની કબુલાતને વૈશ્વિક સ્તરે વખોડી હતી.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે જોરદાર રીતે ખખડાવ્યું હતું. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહૃાું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પોતે આતંકવાદીઓને તાલીમ આપવા અને તેમને નાણાં પૂરાં પાડવાની વાત સ્વીકારી છે, કોઈપણ દેશનું નામ લીધા વિના પોતાના સંબોધનમાં ભારતે કહૃાું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક વિશેષ પ્રતિનિધિમંડળે આ મંચનો દુરુપયોગ કરીને તેને નબળો પાડવા, ખોટો પ્રચાર કરવા અને ભારત વિરુદ્ધ પાયાવિહોણા આરોપો લગાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહૃાો છે. આ પરિસ્થિતિમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કૃત્યોની આકરી ટીકા કરી હતી. ભારતે કહૃાું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં આતંકવાદી સંગઠનોને સમર્થન, તાલીમ અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાનના ઇતિહાસને સ્વીકાર્યો છે, આ કબુલાતનામુ આખી દુનિયાએ સાંભળ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને ઉપ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે કહૃાું કે આ ખુલ્લો કબૂલનામો કોઈને પણ આશ્ચર્યચકિત કરતો નથી અને પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપનાર અને પ્રદેશને અસ્થિર કરનાર એક દુષ્ટ દેશ તરીકે ખુલ્લો પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે દુનિયા વધુ આંખો મીંચી શકે તેમ નથી. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહૃાો છે. આ દરમિયાન ભારત સક્રિયપણે વૈશ્વિક સમર્થન એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ શાંતિ સ્થાપિત કરવા માટે નહીં, પરંતુ સંભવિત લશ્કરી કાર્યવાહી માટે પોતાના તર્કને મજબૂત કરવા માટે છે. ગત સપ્તાહે થયેલા ભયાનક હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ડઝનથી વધુ વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી છે. આ દરમિયાન, ૧૦૦ થી વધુ વિદેશી મિશનમાં તૈનાત રાજદ્વારીઓને તાત્કાલિક વિદેશ મંત્રાલય બોલાવવામાં આવ્યા છે. ભારત પોતાના પાડોશી અને કટ્ટર દુશ્મન સામે લશ્કરી કાર્યવાહી માટે કેસ તૈયાર કરી રહૃાું છે. પાકિસ્તાનનું નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ દોષિતોને સખત સજા અને આતંકના સુરક્ષિત ઠેકાણાઓને નષ્ટ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેને ધ્યાને લેતા અને સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આયનો દેખાડયા પછી ટૂંક સમયમાં નવાજુની થશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial