Advertisement
Author: નોબત સમાચાર

નવચંડી યજ્ઞ, નવનિર્મિત સમાજવાડીનું લોકાર્પણ તથા સંતવાણીના ત્રિવેણી સંગમનું આયોજન

ધ્રોલ તાલુકાના રાજપર ગામના આંગણે

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨૩: ધ્રોલ તાલુકાના રાજપર ગામના આંગણે ટોળીયા પરિવાર (રાજપર મઢ) દ્વારા કુળદેવી ગાત્રાળ શક્તિ માતાજી અને બુટ ભવાની માતાજીના સાનિધ્યમાં તા. ૨૬ અને ૨૭-૧-૨૬ના બે દિવસ સુધી ૧૧ કુંડી નવચંડી યજ્ઞ, નવનિર્મિત સમાજવાડીનું લોકાર્પણ તથા સુપ્રસિદ્ધ કલાકારોના સંતવાણીના કાર્યક્રમ સાથે ત્રિવેણી સંગમ સમાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૬ના સવારે યજ્ઞનો આરંભ થશે, બપોરે ૨ વાગ્યે બીડું હોમાશે, તા. ૨૭ના સવારે ૮ વાગ્યે બાલમોવારા (કર) ઉતારવાની વિધિ કરવામાં આવશે. સાથે જ વાડીનું લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમ, કેશરીસિંહ ઝાલા, રામભાઈ મોકરીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

આ પ્રસંંગે ઘનશ્યામપુરી બાપુ (થરા ગાદી), મહંત રાજેન્દ્રપ્રસાદબાપુ (તોરણીયા), મહંત બાલારામબાપુ, મહંત ગાંડુભગત (મોરબી), મહંત આનંદબાપુ (રાજપર) ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે. તા. ૨૭ના રાત્રે બીરજુભાઈ બારોટ, આશાબેન કારેલીયા સંતવાણીનો કાર્યક્રમ રજૂ કરશે. ટોળીયા પરિવાર રાજપર મઢ તથા રાજપર ગામ સમસ્ત વતી કાબાભાઈ ટપુભાઈ ટોળીયા, નાથાભાઈ તેજાભાઈ ટોળીયા, સરપંચ માવજીભાઈ ચૌહાણ અને ઉપસરપંચ પવનબા જાડેજા દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ તમામ પ્રસંગોમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે તા. ૨૬ અને ૨૭ દરમ્યાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh