Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રહ્મલીન મહંતશ્રી રામપ્રસાદજીની પૂણ્ય સ્મૃતિમાં
જામનગર તા. રરઃ બ્રહ્મલીન મહંતશ્રી રામપ્રસાદજી મહારાજશ્રીની પૂણ્ય સ્મૃતિમાં અને આણદાબાવા સેવા સંસ્થાના પ.પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી શ્રી જામનગર વિસા શ્રીમાળી સુવર્ણકાર સેવા મંડળ દ્વારા સોની સમાજના જ્ઞાતિજનો માટે રમતોત્સવનું તા. રપ-૧-ર૦ર૬, રવિવારના શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના પટાંગણ, લીમડાલાઈન, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ રમતોત્સવ પ્રસંગે સમાજ પ્રમુખ નિતીનભાઈ વારિયા તેમજ વિવિધ સંસ્થાના પ્રમુખ, મંત્રી અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સવારે ૯.૩૦ કલાકે દિપ પ્રાગટ્ય જયભાઈ રજનીકાંત પારેખ, ઉદ્ઘાટન શ્રીમાન યોગેશભાઈ રસિકભાઈ વજાણી દ્વારા કરવામાં આવશે.
વિવિધ શ્રેણીઓમાં આયોજીત આ રમતોત્સવમાં બાળકો તથા અબાલવૃદ્ધ સૌ જ્ઞાતિજનો માટે અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવેલ છે. કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નામ સ્થળ પરજ નોંધવામાં આવશે. તો સર્વે જ્ઞાતિજનોએ બાળકો સાથે ઉપસ્થિત રહી રમતોત્સવનો આનંદ માણવા સુવર્ણકાર સેવા મંડળના મંત્રી હિતેશભાઈ ભુવાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial