Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાગણના ફૂલડોલ ઉત્સવ સુધી શ્રીજીના ગાલે, ગુલાલ લગાવી ખેલાવાશે
દ્વારકા તા. ૨૪: વસંત પંચમી ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે દોઢ થી અઢી વાગ્યા સુધી ખૂલ્લું રખાયું હતું. વર્ષમાં વસંત પંચમી ઉત્સવ નિમિત્તે મધ્યાહન સમયે દ્વારકાધીશના દર્શન ભાવિકો માટે એક કલાક ખૂલ્લાં રખાય છે. આ સાથે વસંત પંચમીના ઉત્સવના દિવસે ભગવાન દ્વારકાધીશજીને મંદિરના ગર્ભગૃહમાં પૂજારી પરિવાર દ્વારા આંબાના વૃક્ષ રોપવામાં આવ્યું હતું. વસંત પંચમીના દિવસે વસંત ઋતુનું આગમન થાય છે, વસંત પંચમીથી દ્વારકાધીશજીને શૃંગાર આરતી તેમજ સંધ્યા આરતી સમયે કુલડોલ ઉત્સવ સુધી સુધી ગાલના ભાગમાં પૂજારી દ્વારા અબીલ ગુલાલથી શ્રીજીને ખેલાવામાં આવશે. વસંત ઋતુથી લઈ ફાગણ હોળાષ્ટક સુધી ભગવાન દ્વારકાધીશને અબીલ ગુલાલથી પૂજારી પરિવાર દ્વારા ખેલાવતા હોય છે. વસંત પંચમી ઉત્સવ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ધાણી દાળિયા ખજૂરનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. બપોરે ૧:૩૦ કલાકે પૂજારી પરિવાર દ્વારા શ્રીજીને વિશેષ શૃંગાર સાથે આરતી કરવામાં આવી હતી. ઉત્સવ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial