Advertisement
Author: નોબત સમાચાર

ફેસબુકમાં બદનામી કરતી પોસ્ટ મૂકવા અંગે કરાયેલી ફરિયાદમાં આરોપીની જામીન અરજી રદ્દ

મુખ્ય સૂત્રધાર સહિતના આરોપી જેલહવાલેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના એક બિલ્ડર વિરૂદ્ધ ફેસબુકમાં સ્ટોરી વાયરલ કરી ખંડણી માંગવાના ગુન્હામાં ઝડપાયેલા વિશાલ કણસાગરા સહિતના આરોપીઓ જેલહવાલે થયા પછી એક આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

જામનગરના બિલ્ડર સ્મિત જયંતિભાઈ પરમારે થોડા દિવસો પહેલાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ફેસબુક પર વિશાલ કણસાગરા નામની આઈડી ચલાવતા શખ્સે તેઓની બદનામી થાય તેવો વીડિયો મૂક્યા પછી રૂ।.૫૦ લાખની ખંડણી માંગી છે.

આ ગુન્હામાં પોલીસે શરૂ કરેલી તપાસમાં પરસોત્તમ મહેન્દ્ર પરમાર સહિતના શખ્સો ઝડપાઈ ગયા હતા. મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરાની પણ ધરપકડ કરી લેવાઈ હતી. તમામ આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા પછી આરોપી પૈકીના પરસોત્તમ પરમારે જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા ડીજીપી જમન ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આ આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh